રાજ્ય સરકાર દ્વાર મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની ખાલી જગ્યોઓ ભરવાનો નિર્ણય કર્યો છે. સરકાર દ્વારા યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. તેમજ કૃષિ મંત્રી સાથેની કૃષિ યુનિવર્સિટીઓ તથા કામઘેનુ યુનિવર્સિટીના કુલપતિઓની બેઠકમાં લેવાયો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભમળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેના ભાગરૂપે રાજ્યમાં ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી વિવિધ સંવર્ગની 2197 જગ્યાઓ ભરવાનો રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કઇ યુનિવર્સિટી માં કેટલી જગ્યા ભરાશે
યુનિવર્સિટી | શૈક્ષણીક | બીનશૈક્ષણીક |
આણંદ કૃષિ યુનિ. | 174 | 280 |
જૂનાગઢ કૃષિ યુનિ. | 248 | 272 |
નવસારી કૃષિ યુનિ. | 80 | 96 |
દાંતીવાડા કૃષિ યુનિ. | 196 | 510 |
કામધેનુ કૃષિ યુનિ. | 155 | 186 |
કુલ | 853 | 1344 |
➡️રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ કેડરની શૈક્ષણિક સંવર્ગની 853 અને બિન શૈક્ષણિક 1344 સંવર્ગની જગ્યાઓ મળી કુલ 2197 જગ્યાઓ ભરવામાં આવશે.
➡️ રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીઓ તથા કામધેનુ યુનિવર્સિટી હસ્તક ચાલતા વિવિધ અભ્યાસક્રમો, સંશોધન, તાલીમ વિગેરેની કામગીરી જડપી બનશે
અરજી કરવા માટે | ક્લિક કરો |
હોમ પેજ | ક્લિક કરો |